આજના આધુનિક યુગમાં બાળકોની બદલાતી ખાનપાનની આદતો અને જંકફૂડના વધતા ક્રેઝને કારણે નાની વયે જ ગંભીર બીમારીઓનું જોખમ વધી રહ્યું છે. આ જ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અને શિક્ષણ બોર્ડ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય હિતમાં એક અત્યંત પ્રશંસનીય અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ શાળાઓમાં હવે બાળકોને વધુ પડતી ખાંડ (Sugar) અને તેના જોખમોથી માહિતગાર કરવા માટે ‘સુગર બોર્ડ’ (Sugar Board) ની સ્થાપના કરવામાં આવશે.

- ટાઈપ-2 ડાયાબિટીસનું વધતું જોખમ: નાના બાળકોમાં નાની ઉંમરથી જ ટાઈપ-2 ડાયાબિટીસ અને સ્થૂળતા (ઓબેસિટી)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેને ડામવા માટે આ કડક પગલું લેવાયું છે.
- રાષ્ટ્રીય આયોગનો આદેશ: રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) ના આદેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગેનો સત્તાવાર પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે.
- નુકસાનકારક કેલરી ઇન્ટેક: એક અભ્યાસ મુજબ, ૪ થી ૧૦ વર્ષના બાળકોમાં દૈનિક કેલરી અને ખાંડનું સેવન ૧૩ ટકા અને ૧૧ થી ૧૮ વર્ષના કિશોરોમાં ૧૫ ટકા જેટલું વધી ગયું છે, જ્યારે શરીરને માત્ર ૫ ટકા જ ખાંડની જરૂર હોય છે.
- જંકફૂડ અને પે્કેજ્ડ ફૂડનું આકર્ષણ: શાળાની આસપાસ મળતા કોલ્ડ ડ્રિંક્સ, જંકફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ બાળકોના સ્વાસ્થ્ય અને દાંતને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે.
- ટાઈપ-2 ડાયાબિટીસનું વધતું જોખમ: નાના બાળકોમાં નાની ઉંમરથી જ ટાઈપ-2 ડાયાબિટીસ અને સ્થૂળતા (ઓબેસિટી)નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેને ડામવા માટે આ કડક પગલું લેવાયું છે.
- રાષ્ટ્રીય આયોગનો આદેશ: રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) ના આદેશ અનુસાર રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગેનો સત્તાવાર પરિપત્ર મોકલી દેવામાં આવ્યો છે.
- નુકસાનકારક કેલરી ઇન્ટેક: એક અભ્યાસ મુજબ, ૪ થી ૧૦ વર્ષના બાળકોમાં દૈનિક કેલરી અને ખાંડનું સેવન ૧૩ ટકા અને ૧૧ થી ૧૮ વર્ષના કિશોરોમાં ૧૫ ટકા જેટલું વધી ગયું છે, જ્યારે શરીરને માત્ર ૫ ટકા જ ખાંડની જરૂર હોય છે.
- જંકફૂડ અને પે્કેજ્ડ ફૂડનું આકર્ષણ: શાળાની આસપાસ મળતા કોલ્ડ ડ્રિંક્સ, જંકફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ બાળકોના સ્વાસ્થ્ય અને દાંતને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે.
શાળાઓમાં કેવી રીતે કામ કરશે ‘સુગર બોર્ડ’? શાળાઓએ હવે પોતાના પરિસરમાં ‘સુગર બોર્ડ’ સ્થાપિત કરીને વિદ્યાર્થીઓને દૈનિક ખાંડનું નિર્ધારિત પ્રમાણ, સામાન્ય ખાદ્ય પદાર્થોમાં છુપાયેલી ખાંડનું પ્રમાણ અને તેનાથી થતા નુકસાન વિશે વિગતવાર માહિતી આપવાની રહેશે. આ માટે શાળાઓમાં ખાસ સેમિનાર અને જાગૃતિ વર્કશોપનું પણ આયોજન ફરજિયાત કરવામાં આવ્યું છે.