મોરબી

દિવાનપરા મચ્છો માતા મંદિર ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા અને ઝડપી તપાસથી રીઢો ગુનેગાર ઝડપાયો

દિવાનપરા મચ્છો માતા મંદિર ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલાયો ક્રાઇમ બ્રાન્ચની સતર્કતા અને ઝડપી તપાસથી રીઢો ગુનેગાર ઝડપાયો

રાજકોટના દિવાનપરા સ્થિત આસ્થાના કેન્દ્ર એવા મચ્છો માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી પોલીસની કાર્યક્ષમતા અને સતર્કતાનો વધુ એક પુરાવો આપ્યો છે. આ કેસમાં 19 ગુનાઓમાં સંડોવાયેલા ઉત્તર પ્રદેશના રીઢા ગુનેગાર વિવેક ચૌહાણને ઝડપી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ડીસીપી જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર તથા સી.એચ. જાદવની સૂચના મુજબ પીએસઆઈ વી.ડી. રાવલિયાની ટીમે ટેક્નિકલ માહિતી, બાતમીદારોના નેટવર્ક અને ઝડપી મેદાની તપાસના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી. હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડ અને કોન્સ્ટેબલ મનીષભાઈ ચાવડાની ચોક્કસ બાતમી આ સમગ્ર તપાસમાં નિર્ણાયક સાબિત થઈ. ધાર્મિક સ્થળે થયેલી ચોરીથી લોકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે વિલંબ કર્યા વિના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતા શ્રદ્ધાળુઓમાં ફરી વિશ્વાસ જાગ્યો છે. ઝડપી તપાસ અને ટીમવર્કના કારણે માત્ર ગુનો જ ઉકેલાયો નથી, પરંતુ રીઢા ગુનેગાર સામે કડક કાર્યવાહીનો પણ સ્પષ્ટ સંદેશ ગયો છે.

વિશ્લેષકોના મતે, આજના સમયમાં સીસીટીવી ફૂટેજ, માનવ બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સનો અસરકારક સમન્વય પોલીસ તપાસને વધુ મજબૂત બનાવી રહ્યો છે. આ કેસમાં પણ તે જ મોડેલ સફળ રહ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, ગુનાહિત તત્વો પર નજર અને ઝડપી કાર્યવાહી જેવી કામગીરી સમાજમાં કાયદો-વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ વધારતી હોવાનું આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે.

AARIF DIWAN

Montu Bagathariya Gujarat Gunj Founder